પૃષ્ઠ:Pankhadio.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘ હા સ્તો. એથી બમણાં, પણ ઓછાં નહિ.’

‘મ્હારા વીસમી સદ્દીના આરાધક ! ઉતાવળા મા થાવ. પૃથ્વી ઉપરના પાંચ લાખ ખ્રીસ્તી દેવળોમાં આજે યે નરમેધની આરાધના થાય છે. મેકાલે તો નાસ્તિક હતો ને બેન્ટિકને એના પાશ ચ્હ ડ્યા’તા. બેન્ટિક ઈશનો દિલોજાન આરાધક હોત તો અમારી એ ઈશૂડીઓને ન અવરોધત. બેન્ટિકનો કાયદો એટલે સતીત્વનો અવરોધ. સાચા ખ્રિસ્ત ભક્તો સતીને નરમેધ ન ભાખે.’

‘પણ એકસો વર્ષ થયાં બારણાં દેવાયે. આજ શું છે એનું ?’

‘આજ એ છે કે સતીની ભાવનાને બદલે સુન્દરીની ભાવના આપણા સંસારે ચક્રવર્તી થઈ એનું એ પરવ.’

‘પણ જગત એથી આગળ વધ્યું કે પાછળ પડ્યું ?’

‘તું એક ઉત્તર આપે તો હું એનો ઉત્તર આપું.’

‘પૂછે ત્ય્હારે ઉત્તર આપું કે પૂછ્યા પહેલાં ?’

‘કહે ત્ય્હારે. Moral-નૈતિક ભાવનાઓના વિકાસથી જગત આગળ વધે કે સૌન્દર્યની ભાવનાઓના વિકાસથી ?’

‘બન્નેયથી.’

‘એ નિશ્ચિત ઉત્તર નથી. માનવીની ચક્રવર્તી ભાવના કઈ ? પુણ્યની કે સૌન્દર્યની ?’

‘મ્હેં ઉત્તર આપ્યો : હવે ત્હાીરો વારો.’

‘ફિલસુફીને નહિ ભાખું, ઉત્તરમાં ઇતિહાસ કહું.

૮૨