હતો, ને ત્હેને ક્ષય થયો હતો. માળવાનાં સુક્કાં હવાપાણીમાં, અફીણ ને કપાસનાં ખેતરો વચ્ચે, દાક્તરી સલાહથી તેઓ આવી વસ્યાં હતાં.
એ રાંધતી, તે જમતો; એ પાણી ભરી લાવતી, તે પીતો; એ પ્રભુને વિનવતી, તે સૂર પૂરતો.
સીતા ને રામ જેવાં તે એકાન્તવાસી હતાં; એમની પંચવટીના એકાન્તવાસમાં લક્ષ્મણજીનો યે સહયોગ ન હતો.
આથમ્યા બપ્પોર રાત્રિ પડ્યા વિના કદી યે પાછા પ્રભાત થઈ ઉગ્યા છે ?
એમનું યે જીવનબેડલું ફૂટ્યું તે પાછું સ્વર્ગમાં સન્ધાયું.
શિપ્રાના ઘાટશિકરો એમની કરમાયેલી કુંપળોને ફરીથી ખિલાવી શક્યા નહિ, કે મહંકાળેશ્વરની ધૂપઆરતીઓ એમના આથમ્યા પરિમલને પાછી પમરાવી શકી નહિ.
એ મોગરો ને મોગરાની વેલ તો સદા કરમાઈને પડ્યાં.
માળવાના રણમાં માસેક માંડ વીત્યો હશે. યૌવનમાં બહુધા બને છે એમ એ ક્ષયે (Galloping consumption) અતિતીવ્ર ક્ષયનું રૂપ લીધું; ને શું થયું ? કે શું થાય છે ?-સહુ એ ચિન્તવે કે સહુને સ્હમજાય એ પહેલાં તો એની આયુષ્યસેર તૂટી ગઈ.
એક દિવસે માળવાના રણપગથાર વચ્ચે યુવતિની હૈયાશય્યા સમી ચિતા ખડકાઈ, ઉપર પિયુજી ચ્હડ્યા. પછી અગ્નિની ઝાળ એને ઘેરી વળી. સોળ વર્ષની સૌન્દર્યમૂર્તિ