જાગૃતિ જાણ્યા વિન ભગતિ ન શોભે પાનબાઈ,
મસજાદ લોપાઇ ભલે જાય,
ધ ૨ મ અ ના દિ નો જુ ગ તિ થી ખે લો
જુગતિથી અલખ તો જણાય રે.
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ
નહિતર અચાનક અંધારું થાશે,
જોતજોતામાં દિવસ વહ્યા ગયા રે પાનબાઈ.
એકવીશ હજાર છસોને કાળ ખાશે
આવાં પદ સાસુએ રોજ ઉઠીને સંભળાવ્યાં ત્યારે વહુ પાનબાઈ જવાબ દે છે—
છુટાં રે તીર હવે નો મારીએં બાઈજી,
મેંથી સહ્યું નવ જાય,
કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈજી,
છાતી મારી ફાટું ફાટું થાય રે.
બાણ રે વાગ્યાં ને રૂંવાડાં વિંધાણા બાઈજી,
મુખથી કર્યું નવ જાય,
આપોને વસ્તુ મુંને લાભ જ લેવા,
પરિપૂરણ કહોને ક્રિયાય.
પણ માનવ–પ્રાણની છીછરાવટને જાણનારાં ગંગા સતી જવાબ વાળે છે–હજી વાર છે પરિપૂર્ણ ક્રિયા બતાવવાની. હજુ સાચાં બાણ વાગ્યાં નથી. બાણ વાગ્યા પછી તો વહુ ! વાચા ન રહે મોંમા—
હજી પૂરાં બાણ તમને નથી લાગ્યાં પાનબાઈ;
બાણ રે લાવ્યાને છે વાર,
બાણ રે વાગ્યાથી સૂરતા ચડે અસમાનમાં,
પછી તો દેહદશા મટી જાય.
બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહિ પાનબાઈ
પરિપૂરણ વચનમાં વરતાય,