આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાછા ફરવાના માર્ગ પર આવેલા શિવાલયના ઓટલા પર જઊને હું બેઠો. પાસે અવતાંપરિચારિકાઓએ મને જોઈ મારા ભણી રોષભરી દૃષ્ટિ કરી. | |
દુર્ગેશ : | અને એ યુવતીએ ? |
જગદીપ : | એ તો
(ઈન્દ્રવિજય) ચાલી ગઈ મુજ આગળથી મુખ રાખિ નિચું, હઇયું ઉભરાતું, |
દુર્ગેશ : | અને, હવે સ્વપ્નાવસ્થા ચાલે છે કે સંશયાવસ્થા ? |
જગદીપ : | મારી વિહ્વલતા હાસ્યપાત્ર ભાસતી હશે, પણ તેનો ઉપાય એ યુવતીના પુનર્દર્શન વિના બીજો એકે નથી. |
દુર્ગેશ : | એનું નામ કાંઈ જાણવામાં આવ્યું ? |
જગદીપ : | એના નામથી શબ્દથી મારા કર્ણ ધન્ય થયા નથી. એની એક પરિચારિકાનું નામ લેખા છે. |
દુર્ગેશ : | સ્વામીથી સેવક ઓળખાય કે સેવકથી સ્વામી ઓળખાય ? |
જગદીપ : | જગતના બધાં સિદ્ધાંતો મારી સ્મૃતિમાંથી ખસી ગયા છે. મને યાદ આવે છે કે લેખાએ એને 'કુંવરીબા' કહી હતી. |
દુર્ગેશ : | 'કુંવરીબા'? અહીં તો કોઈ કુંવરી નથી. પર્વતરાયને પ્રથમનાં રાણીથી એક કુંવરી હતી. તે તો કેટલાંક વર્ષ પર કાંઈ ભેદભરેલી રીતે ગુજરી ગઈ. અને 'કુંવરી' કહેવાય એવી કોઈ બાલા અહીં છે જ નહિ. |
જગદીપ : | ત્યારે આ મહેલમાં કોણ રહે છે ? |
દુર્ગેશ : | એ મહેલમાં કોઈ કાયમ રહેતું નથી. એ મહેલ |
૧૨૦
રાઈનો પર્વત