આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પર્વતરાય છું. એમ જાણી લીલાવતી મારી સાથે લગ્નની ક્રિયા કરે એ પુનર્લગ્ન કહેવાય નહિ. | |
શીતલસિંહ : | પર્વતરાય હયાત છે અને આપ પર્વતરાય છો એ વાતો તો નિશ્ચળ છે અને ફેરવાય એવી નથી. હવે એ વાતનો આપ ઇનકાર કરો તો કેવો ઉત્પાત થાય? આપણો કેવો ઉપહાસ થાય અને વિનાશ થઈ જાય! |
રાઈ : | શીતલસિંહ !
(અનુષ્ટુપ) વિનાશ રોકવો શાનો , એ જ ચિન્તા ઘટે ખરે; |
શીતલસિંહ : | મારે જાલકાને બધો વૃત્તાંત કહેવાનો છે, તે શું કહું? |
રાઈ : | જે બન્યું છે તે કહેજો, અને કહેજો કે હું વિચારમાં છું. |
શીતલસિંહ : | કાલે રાત્રે આપણે ભોંયરામાં દાખલ થવાનું છે. તેડવા ક્યાં આવું ? |
રાઈ : | કિસલવાડીમાં. હું ત્યાં જ જઈશ. |
શીતલસિંહ : | અત્યારે અહીં એકલા પડી આપ વધારે વ્યગ્ર થશો માટે વાડીએ જઈને નિદ્રા લેશો. |
રાઈ : | જે મળશે તે લઈશ. મારી ફિકર ના કરશો.
[બન્ને જાય છે.] |
સ્થળ : કિસલવાડી પાસે નદીનો કિનારો
[રાઈ રેતીમાં ફરતો પ્રવેશ કરે છે.]
રાઈ : | શીતલસિંહે જે બધું કહ્યું તેમાંથી એક વાત તો ખરેખર સાચી છે. તે એ કે લીલાવતીનું સૌંદર્ય અનુપમ છે. એવું સૌંદર્ય મેં આજ સુધી કોઈ સ્ત્રીનું જોયું નથી. હું વસતીમાં કદી રહ્યો નથી., તેથી કદાચ એમ હશે. પરંતું |
અંક ચોથો
૮૪