પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પર્વતરાય છું. એમ જાણી લીલાવતી મારી સાથે લગ્નની ક્રિયા કરે એ પુનર્લગ્ન કહેવાય નહિ.
શીતલસિંહ : પર્વતરાય હયાત છે અને આપ પર્વતરાય છો એ વાતો તો નિશ્ચળ છે અને ફેરવાય એવી નથી. હવે એ વાતનો આપ ઇનકાર કરો તો કેવો ઉત્પાત થાય? આપણો કેવો ઉપહાસ થાય અને વિનાશ થઈ જાય!
રાઈ : શીતલસિંહ !

વિનાશ રોકવો શાનો , એ જ ચિન્તા ઘટે ખરે;
બાકીનાં પરિણામો તો અનુષંગિક ગૌણ છે.

શીતલસિંહ : મારે જાલકાને બધો વૃત્તાંત કહેવાનો છે, તે શું કહું?
રાઈ : જે બન્યું છે તે કહેજો, અને કહેજો કે હું વિચારમાં છું.
શીતલસિંહ : કાલે રાત્રે આપણે ભોંયરામાં દાખલ થવાનું છે. તેડવા ક્યાં આવું ?
રાઈ : કિસલવાડીમાં. હું ત્યાં જ જઈશ.
શીતલસિંહ : અત્યારે અહીં એકલા પડી આપ વધારે વ્યગ્ર થશો માટે વાડીએ જઈને નિદ્રા લેશો.
રાઈ : જે મળશે તે લઈશ. મારી ફિકર ના કરશો.
[બન્ને જાય છે.]
 


પ્રવેશ ૫ મો
સ્થળ : કિસલવાડી પાસે નદીનો કિનારો
[રાઈ રેતીમાં ફરતો પ્રવેશ કરે છે.]
 
રાઈ : શીતલસિંહે જે બધું કહ્યું તેમાંથી એક વાત તો ખરેખર સાચી છે. તે એ કે લીલાવતીનું સૌંદર્ય અનુપમ છે. એવું સૌંદર્ય મેં આજ સુધી કોઈ સ્ત્રીનું જોયું નથી. હું વસતીમાં કદી રહ્યો નથી., તેથી કદાચ એમ હશે. પરંતું
અંક ચોથો
૮૪