પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

९–रा जी म ती

સન્નારી મથુરાના રાજા ઉગ્રસેનની કન્યા હતી. તેની માતાનું નામ ધારિણી હતું. તેનો વિવાહ દ્વારકાના રાજા સમુદ્રવિજયના કુમાર નેમિનાથ સાથે થયો હતો.

૨ાજા સમુદ્રવિજય નેમિનાથને પરણાવવા સારૂ મોટી જાન લઈને મથુરા ગયો હતો. મથુરાના રાજાએ વેવાઈને આદરસત્કાર કરવામાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી નહોતી. તેણે જાનને જમાડવા સારૂ, જાતજાતનાં પશુઓને એકઠા કરીને એક વાડામાં પૂરી રાખ્યાં હતાં. દૈવસંયોગે વરરાજા નેમિનાથનું એ ત૨ફજ ગમન થયું અને વાડામાં પૂરી રાખેલાં નિર્દોષ પશુઓનો આર્તનાદ તેમના સાંભળવામાં આવ્યો. તેમણે પોતાના સારથિને પૂછ્યું: “સારથિ ! આ દારુણ સ્વર કોનો છે ?” સારથિએ જવાબ આપ્યો: “કુમાર ! આપના લગ્ન પ્રસંગે ઉગ્રસેન રાજા મોટી જ્યાફત આપવાના છે અને તેમાં આપણી સાથે આવેલા જાનૈયાઓને વિધવિધ પ્રકારના માંસની વાનીઓ જમાડવા સારૂ જે જુદાં જુદાં પશુઓને એકઠાં કરેલાં છે તેમની આ ચીસો છે.” આ સમાચાર સાંભળીને કોમળ હૃદયના કુમાર નેમિનાથ ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાના લગ્નનિમિત્તે આટલા બધા નિર્દોર્ષ જીવોનો વધ થાય, તે વિચારે તેમના હૃદયમાં વૈરાગ્ય ઉપજાવ્યા. તેમણે લગ્ન કરવાનો વિચાર માંડી વાળીને તપસ્યા કરવાનો તથા ધર્મસાધવાનો દૃઢ નિશ્ચય કર્યો.

તેમની માતાએ તથા અન્ય સંબંધીઓએ તેમને ઘણીએ શિખામણ આપી અને સંસારમાં રહેવાનો આગ્રહ કર્યો, પણ દૃઢ પ્રતિજ્ઞાવાળા કુમારે પોતાનો સંકલ્પ બદલ્યો નહિ અને વનભણી પ્રયાણ કર્યું.

રાજીમતી ઘણી સુશીલ અને વિદુષી સ્ત્રી હતી. માતાપિતા તરફથી તેને ઊંચા પ્રકારની કેળવણી અને સારા સંસ્કાર પ્રાપ્ત