પૃષ્ઠ:Rajpadhya.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે






શ્રીમદ્ રાજ્યચન્દ્ર.

(મહીદીપ છન્દની ચાલ.)
દીનનો દયાળ છોડી કોને શરણ જાઉં ? એ ગીતના ઢાળ.

ધર્મનું સામ્રાજ્ય સદા હૃદયમાં સુહાવે,
હૃદય રાજ્યચન્દ્ર એ રસામૃત રેલાવે.
રસની રેલમાં વહી જીવિત સુરમ્ય મ્હાલે,
જીવિત રાજ્યચન્દ્ર પ્રાણની સુગન્ધ ફેલે.
રસ સુગન્ધ ચેતને જનજગ પાર્થિવ ઝૂલે,
આત્મ રાજ્યચન્દ્ર ત્યાં અપાર્થિવ પ્રફુલ્લે.


વડાદરાને રાજવડલે,
તા. ૧૪–૧૧–૧૫.
લલિત.