પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
૫૯
રાજપદ્ય.

________________

રાજપધ. પટ ૨૭ જડ ને ચૈતન્ય અને દ્રવ્ય તે સ્વભાવ ભિન્ન, સુપતિતપણે બન્ને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે. એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવ અન્તને ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ તેથી તેમ પણ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ જે અનાદિ એક રૂપને મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચન વડે દુર થઈ જાય છે. ભાસે જડ ચેતના પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨૨ મા વર્ષે વવાણીઆઃ = Ganum i Heritage Portal