આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મથુરાપર્વ
.
જરાસંધની
બીજી ચડાઇ
ધાર્યા પ્રમાણે થોડા વખતમાં જ જરાસંધ પાછો ચડી આવ્યો. આ વખતે કેટલાક અનુભવી યાદવોને એમ લાગ્યું કે ગમે તેટલી વાર જરાસંધ હારે; તોપણ એનું બળ અખૂટ અને યાદવોનું પરિમિત રહ્યું. જરાસંધનો સર્વ ક્રોધ રામ અને કૃષ્ણ પર છે; માટે સારામાં સારો ઉપાય તો રામ અને કૃષ્ણે મથુરા છોડવું એ જ ગણાય.
મથુરાત્યાગ
આવા વિચારથી એ યાદવોએ ભાઇઓને મથુરા છોડવા વિનંતિ કરી. પ્રજાનું હિત જોઇ બે ભાઇઓએ તરત જ એ વિનંતિ સ્વીકારી લીધી અને ક્ષણનો પણ વિલંબ ન કરતાં દક્ષિણમાં કરવીર શહેર આગળ જઈ પહોંચ્યા. ત્યાં એમને પરશુરામનો[૧] મેળાપ થયો. પરશુરામે એમને આજુબાજુના પ્રદેશની અને રાજકીય સ્થિતિની માહિતી આપી. એમની સલાહથી રામ અને કૃષ્ણ ગોમન્તક પર્વતના શિખર ઉપર રહ્યા.
- ↑ પરશુરામની હકીકત વિદ્યાર્થીએ શિક્ષક પાસે જાણી લેવી. પરશુરામનું અવતારચરિત્ર, દક્ષિણદેશશોધન, કર્ણને અસ્ત્રવિદ્યાનો ઉપદેશ અને શાપ એ વિષેની વાતો વિદ્યાર્થીએ પૂછી લેવી જોઇયે.
૧૧૧