પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરણ્યકાણ્ડ

વિરાધનો નાશ

વનમાં પ્રવેશ કર્યા પછી રામ જુદા જુદા આશ્રમો જોતા જોતા દક્ષિણ તરફ ચાલતા હતા. તેવામાં એક દિવસ એમને એક જંગલમાં વિરાધ નામે એક પ્રચંડ રાક્ષસ મળ્યો. એણે રામ વગેરે પર હલ્લો કર્યો. રામ અને લક્ષ્મણને એક એક હાથમાં ઉપાડી લીધા. એવો એ બળવાન હતો. બાણો તો એની જાડી ચામડીમાં પેશી જ શકતાં નહિ. પણ રામ અને લક્ષ્મણે તલવાર વતી જે હાથે એણે એમને ઉપાડ્યા હતા તે કાપી નાંખ્યા, અને એવી રીતે છૂટા થઇને એના પગ પણ કાપી નાંખ્યા. પછી તેને એક ખાડામાં દાટી દીધો.

૨૭