પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જે જન જાનકી નાથને ધાએ, તે જનનીને જઠર ન આવે.

અઢાર પુરાણે અનંત કથા છે, કવિ વાણીનો વિસ્તાર;
શ્રી ભાગવત ને રામ કથા, એ બે સર્વનું સાર.

વલણ

સાર શાસ્ત્રનું પુરાણનું, શ્રી ભાગવત રામ ચરિત્ર;
પ્રેમાનંદ પ્રભુ રામ નામે, થાયે દેહ પવિત્ર. ૧૦

કડવું ૧ લું

રાગ વેરાડી

શત કોટી રામાયણ લીલા, માંહથી સારગ્રહુ થોડું;
જુદ્ધ કાંડમાંથી સંક્ષેપે, રણ જગ્ન તે જુક્તે જોડું.

માતા પિતાનું વચન પાળવા, રાજ્ય તજ્યું રધુનાથે;
જટા વધારીને વનમાં હાલ્યાં, લક્ષ્મણ સીતા સાથે.

ગોદાવરી ત્રઠ પંચવટીમાં, રહ્યા વાસો અશર્ણ શર્ણ;
લંકાપતિ રાવણે કીધું, સીતાજીનું હર્ણ.

સુગ્રીવ સાથે મૈત્રી કીધી, મળ્યાં વાનર પદ્મ અઢાર;
સમુદ્ર બાંધ્યો રામચંદ્રે, સેના ઉતારી પાર;

અંગદ સાથે વિષ્ટિ કા'વી, મળ્યાની વાત ન બાંધી;
રામ કને ફરી અંગદ આવ્યો, ક્લેશ વારતા વાધી.

રણસ્તંભ શ્રી રામે રોપ્યો, કરવા દેવનું કાર્ય;
રણ ભૂમિની વેદી કીધી, રામ થયાં આચાર્ય.

વિભીષણને દિક્ષિત કીધા, હનુમાન લાવ્યાં ઉપહાર;
બાણ રૂપી સરવે હોમ્યો, રાક્ષસ પરિવાર.

બેતાલીસ કોટી મંત્રી હોમ્યાં, કંદ મૂળને ઠામ;
બાણું લાખ દીકરા હોમ્યા, તિલ જવનું લઇ નામ.

મોટા મહિષને સ્થાનકે હોમ્યો, કુંભકર્ણ જે રાય;
અજાને સ્થાનક લઈને હોમ્યો, રાજ પુત્ર અતિકાય.