પૃષ્ઠ:Rasbindu.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન લેખક : ૧૬૧
 

પ્રગટ થયો.

‘ના, ના આ સંહાર ઉપર રચાયલી મહત્તા મારે ન જોઈએ.’

* **

એણે બીજી પાસ નજર નાખી. એ બાજુએ શાન્ત, ભૂરો પ્રકાશ છવાયો હતો. એમાં ભવ્ય મંદિર, દેવળો અને મસ્જિદો ડોકિયાં કરી રહ્યાં હતાં.

બોરોબુદૂરની દેવમાળાને કાંગરે કાંગરે ભગવાન બુદ્ધ પદ્માસનવાળી સ્મિતભરી મુખમુદ્રાથી માનવજાતને આશિષ આપતા દેખાતા હતા ! એક બુદ્ધમાંથી હજારો બુદ્ધની રચના થઈ અને ચીન, જાપાન, તાર્તરી, હિંદ, બ્રહ્મદેશ : એ સર્વ સ્થળે એની પૂજા થઈ.

પણ...પેલા બૌદ્ધધર્મી જાપાનીઓ અને ચીનાઓ એકબીજાને ફાડી ખાય છે !

હિંદમાંથી બુદ્ધને આપણે હાંકી કાઢ્યા !

અને સનાતન પાસે બુદ્ધ સરખું રાજ્ય ક્યાં હતું કે એ છોડી બુદ્ધને પગલે પગલાં માંડે?

બાલસંન્યાસી શંકરનું તેજ એમને અદ્વિતીય બનાવી રહ્યું હતું ! સંન્યસ્ત પાળવાની સનાતનની ઈચ્છા ન હતી. અને સંન્યસ્તથી મહત્તા આવતી હોય તો હિંદમાં સંન્યાસીઓની ખોટ નથી જ.

એ જ શંકરના અનુયાયીઓને મુસ્લિમોએ માર્યા, ખ્રિસ્તીઓએ માર્યા અને આજ હિંદુઓનો તેજોવધ થઈ રહ્યો છે...અરે તેઓ ગુલામોની ગણતરીમાં આવી ગયા છે.

મહમદની બાંગ જગતના મોટા ભાગને એક બનાવી રહી છે, નહિ ? નિમાઝ પઢતા એક મુસ્લિમને લાગે છે કે એની સાથે કોટી કોટી સહધર્મીઓ એક ખુદાનું ધ્યાન કરી રહ્યા છે.

શા માટે એ મહાપુરુષનું મુખ ઉદાસ દેખાય છે ? શું ઈસ્લામનો સ્થાપક એમ પૂછે છે કે ઈસ્લામ ક્યાં છે ?

ઈસ્લામ એટલે શાન્તિસ્થાપના. ઇસ્લામી જગતમાં શાન્તિ છે ખરી ? એની સ્થાપના સાઠ દિવસના ઉપવાસ અને ગુફાનું એકાન્ત