પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૫૫
 



દુઃખની દેવી

♦ પ્રગટ્યા શ્રીકૃષ્ણ મન ભાવતા રે લોલ. ♦


આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડે ઝરે અમોલા ઓઘ જો !
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડાંમાં વિશ્વના વિલાસ છે રે લોલ !
આંસુડાંમાં જોગીઓના જોગ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !

દુઃખની દેવી હું જગતમાવડી રે લોલ,
દુઃખનાં પીયૂષ પાઉં રોજ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
શિરે વરસાવું ઊંડી વાદળી રે લોલ,
નીરનાં ભરું નયને હોજ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !