આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૫૫
દુઃખની દેવી
♦ પ્રગટ્યા શ્રીકૃષ્ણ મન ભાવતા રે લોલ. ♦
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડે ઝરે અમોલા ઓઘ જો !
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડાંમાં વિશ્વના વિલાસ છે રે લોલ !
આંસુડાંમાં જોગીઓના જોગ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ ! ૧
દુઃખની દેવી હું જગતમાવડી રે લોલ,
દુઃખનાં પીયૂષ પાઉં રોજ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
શિરે વરસાવું ઊંડી વાદળી રે લોલ,
નીરનાં ભરું નયને હોજ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ ! ૨