આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાહિત્ય,કવિતા અને કળાના ઊંડા અભ્યાસી અને કદરદાન,
મારા પરમસ્નેહી અને પરમહિતચિંતક
ડૉ. એરચ જહાંગીર સોરાબજી તારાપોરવાળાને
આભારની ઊંડી લાગણી સાથે
અર્પણ
≠≠≠(અમ રે સાથે શું રાજ ! માયા ઉતારી)
મનડાંનાં મોતી ને હૈડાંના હીરા,
અણગણ ગુણભરી ગિરા :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?
દિલથી નહીં દીઠું તે દીઠું નહીં આંખે,
દિલની દિલાવરી જે ચાખે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?
ધગતા રણે પડી જે પ્રભુને સંભારે,
પ્રભુશા આવી ત્યાં કર ધારે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?