દુખિયારી મલ્લુ એકલી પડીને વિચારે છે : હાય રે ! હું જીવું છું ત્યાં સુધી મારા સ્વામીના કપાળે કાળી ટીલી જ રહેવાની. સદાય મારો સ્વામી દુઃખી થયા કરશે. એ કરતાં મારી આવરદાનો જ અંત કાં ન આણું ?
મનથી મરવાનું નક્કી કરીને મલ્લુ નદીને આરે આવી. મન-પવનવેગી નૌકા બાંધી હતી તેમાં બપોર વખતે મલ્લુએ પગ મૂક્યો. પગ મૂકતાંની વાર જ –
ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉ સે પાનિ;
કોતો દૂર પાતાલપુરી આમિ નહિ જાનિ.
[એ તૂટેલા નાવડામાં ઝલક ! ઝલક ! ઝાલક મારતાં મારતાં નદીના પાણી દાખલ થવા લાગ્યાં. મલ્લુ બોલી કે “હે નદીનાં નીર ! હું નથી જાણતી કે પાતાળપુરી અહીંથી કેટલે દૂર છે. માટે –]
ઉઠુક ઉઠુક આર ઓ જલ, નાઉએર બાતા બાઈયા.
[હે વાયરા ! તમે ફૂંકો ! અને ભલે આ નાવમાં હજુ વધુ પાણી ચડો ! ]
નાવડું ખેંચાવા લાગ્યું. નીર ભરાવા લાગ્યાં, ત્યાં તો ચાંદવિનોદની બહેન ધા દેતી આવી :
“ઓ ભાભી ! તૂટેલ નાવડું છોડી દે ! ઘેર ચાલ ! ઘેર ચાલ !”
નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે :
ના જાઇબો ઘરે આર, શુનો હે નનદિની,
તોમરા સબેર મુખ દેઇખ્યા, ફાટિ છે પરાની.
[હે નણંદબા ! હવે ઘેર નહિ આવું. તમારા સહુનાં મોં દેખીને મારી છાતી ફાટે છે. માટે–]
ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;
જન્મેર મત્ત મલુવારે, એકબાર દેઇખ્યા જાઉ.
[આજ તો ભલે આ પાણીનાં મોજાં ઉછાળા મારે ! મારવા દ્યો ઉછાળા ! ડૂબવા દ્યો આ તૂટેલી નૌકાને ! અને છેલ્લી વાર તમે સહુ સગાં તમારી મલ્લુને નીરખી જાઓ !]
નાવડું વધુ ને વધુ ડોલવા લાગે છે. પાણી વધુ ને વધુ ભરાતાં જાય