૧૪૨
અવતાર છે.
બાપુ ગુજર્યાના ખબર પડતાં કમરીબાઈ એ શાદૂલ ધાધલને કહ્યું, “કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભેાજના મોઢામાં હજી દૂધિયા દાંત છે ! એને મારા પિતરાઈઓ જીવતે નહિ રહેવા આપે, માટે હાલે, આપણે ઉબરડે જઈને રહીએ.”
ત્યાં તો બહેનને પણ સ્વર્ગોપરનું તેડું આવ્યું; બહેન મરવા સૂતાં પણ જીવ કેમેય જતો નથી. આપા વિસામણે ઢોલિયા પાસે બેસીને પૂછયું : “બહેન, તું તો વરૂવડીને અવતાર : અને જીવ કેમ જાતો નથી ?”
બહેને જવાબ દીધો : “ કાકા, મારા ભેાજનું શું થાશે?”
“કાં માડી ! ભેાજની ફિકર શેની ! એની રખેવાળી કરનારા એના બે કાકા બેઠા છે ને !”
વિસામણ કાકા, ભેાજ મરે તેનો ગરાસ કોને જાય ?”
“એના કાકાને.”
“બસ ! સમજ્યા, બાપ ?”
“સમજ્યો, બેટા ! લે ત્યારે સાંભળ. ભેાજ જે દી મરશે તે દી સ્વર્ગાપરને મારગે ઉબરડાનો એકેએક કરપડો બે ડગલાં ભેાજની મોઢા આગળ માંડશે. માટે, મારા બાપ ! તારા જીવને સદ્ગતિ કર.”
કમરીબાઈના પ્રાણ એટલું સાંભળીને છૂટી ગયા. પણ આ બધી વાતો ભેાજ ખાચરના પિતરાઈઓના કાને ગઈ. એ બધાને પગથી માથા સુધી ઝાળ થઈ ભેાજને ટૂંકો જ કરવા એવો મનસૂબો ઘડાયો.
બહેન ગઈ એટલે તે દરબારગઢ ઝાંખો પડી ગયો. વિમાસણ ડોસાએ એારડામાં આવીને જોયું તેા એાળીપો બગડી ગયેલો, ચાકળા-ચંદરવા વીંખાઈ ગયેલા અને માંડયનાં