પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧

કરપડાની શૌર્યકથાઓ

શું કરતો હતો ? પોતાની પછેડીની ફાટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતેા.

સામે કાંઠેથી સ્વર આવ્યો : “ ફકીરા કરપડા ! મરતી વખતે ચાળો ઉપડ્યો કે શું ? ”

આ કાંઠેથી જવાબ ઊઠયો : “ ના, બાપ ! આ તો મારા ધણીની ધરતીને મરતે મરતેય બાંધી જાઉ છું. ત્યાં જઈને કહીશ કે મારા ધણી ! મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, દીધી નથી.”

લીધી પણ દીધી નહિ, ધણિયુંવાળી ધરા,
કીધી કરપડા, ફતેહ આંગત ફકીરિયા !

ફકીરાના રામ ઊડી ગયા. મૂળુ ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પાડ્યાં. એણે પ્રતિજ્ઞા લીધી કે ઉબરડાની ચપટી માટી પણ મારે હવે ન ખપે.

ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે મોજુદ છે.


૩. વિસામણ કરપડો

ણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ ભેાજ ખાચર થયા, છ વરસના અને એકના એક વહાલા દીકરા ભોજનું કાંડું વૃદ્ધ વિસામણાને ભળાવીને ભેાજના બાપ દેવ થઈ ગયા. ભેાજની મા તો વહેલાં ગુજરી ગયેલાં. ભેાજને સાંભરતુંયે નહિ હોય કે માનું માં કેવું હશે.

ભેાજને એક કમરીબાઈ નામે બહેન હતાં. તે જામનગર તાબે દહીરા ગામમાં દરબાર શાદૂલ ધાધલના ઘરમાં હતાં. લેાકેા કહેતા હતા કે કમરીબાઈ તે આઈ વરૂવડીનો