પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
31

દિલાવર સંસ્કાર [પ્રવેશક]

હારાકીરી એટલે ? બ્રાહ્મણ પૂજા કરતા હોય તેટલી જ સહેલાઈથી કટાર વડે પેટ ઉપર ત્રણ ચીરા કરવા, પછી ગરદન વીંધીને હથિયારમાં છેક મગજના ભાગ સુધી માથુ પરોવી નાખવું'; ને ક્રિયા ખતમ થતાં સુધી શુદ્ધિ જાળવવી. આવા મૃત્યુઓને બુદ્ધિ હસી કાઢી શકે છે, પણ તેમાં મરનારનો દેહ પરનો જે વિજય દેખાય છે તેને કોઈ પણ બુદ્ધિવાદની પટુતા ઝાંખો પાડી નહીં શકે.