પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૧૦૨

ગો. ઓલ્યા ઘોડાને ઝાલુને જેતપુર લઈ જાશે ને બડાઈ હાંકશે કે રાઠોડ ધાધલને જીતુને આદા. એલા, ભડાકો કરો. ઘોડાને ઝટ બંદૂકે દો, નીકર આપડો નાક વઢાશે.”

આપાના એક અસવારે બંદૂક નેાંધીને ઘોડો ગૂડી નાખ્યો. જૂના કાળનો લડવૈયો પોતાનાં ઘોડાંને શત્રુના હાથમાં કદી ન જવા દે.

એક દિવસ જેતપુરના દરબાર વાલેરા વાળા સનાળીમાં મહેમાન થઈ આવ્યા. ચોરે ઉતારો કર્યો. વડલા ઉપર બૂંગણો બાંધીને ઉપર પાણીનાં બેડાં ઠલવી ઠલવી આખો દિવસ વરસાદ વરસાવવાનો વાલેરા વાળાને શોખ હતો. એટલે વાલેરા વાળાનો મુકામ થાય ત્યારે સનાળીમાં ગુલતાન મચતાં. રોટલા તૈયાર થયા એટલે રાઠોડ ધાધલ છાશ પીવા તેડવા આવ્યા. સહુ ઊઠ્યા, પણ ચોરા તરફ એક આદમી ફાળિયું ઓઢીને સૂતેલેા હતો. રાઠોડ ધાધલે પૂછયું : “ઈ કમણ સૂતો છે ?”

વાલેરા વાળાએ કહ્યું : “આપા, ઈ બોલાવ્યા જેવો નથી.”

"કાં ?"

“ઈ મકરાણી છે. એને કોઈ ઊંઘમાંથી ઉઠાડવા જાય તો જમૈયો ઠઠાડે છે.”

“ઈં છે, ભણેં ? ખવરાવતાં-પિવરાવતાં ઊલટાનો જમૈયો મારતો સે ?”

મકરાણીને ફાળિયું તાણીને રાઠોડ ધાધલે સાદ કર્યો: "એ જમાદાર, ભણેં હાલેા, છાશું પીવા.”

મકરાણી જાગ્યો. ડોળા ફાડીને ઝબ જમૈયો ખેંચ્યો.