પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર હવે રહી પૈસાની વાત, આપમાંથી જે પૈસા આપવા પ્રશ્ને તે મને યા શ્રીમન્નારાયણુજીને આપે. દરેકે પોતાની શક્તિ પ્રમાણે પૈસા આપવા જોઈએ. આપે તે કામને માટે આપે; નામને માટે કાઈ પૈસા ન આપે. સમેલનના ઠરાવા જે ૧. આ સંમેલનના અભિપ્રાય છે કે, હિંદુસ્તાની જ્ઞાન લાવવા તથા તેની આબાદી કરવાને માટે એ વસ્તુની જરૂર છે કે, હિંદી જાણનારા ઉ લખાવટને અને ઉર્દૂ જાણુનારા નાગરી લખાવટને જલદીમાં જલદી શીખી લે; અને જે લાકા આ ખેમાંની એકનેય ન જાણતા હોય તે પણ મેઉનેય શીખી લે, કે જેથી બધા લોક હિંદુસ્તાનીનાં ઉર્દૂ હિંદી એ એક રૂપે વાંચી અને સમજી શકે અને એ રીતે હિંદુસ્તાનીના વિકાસ અને પ્રચાર થઈ શકે. ૨. દેશના બધા લોક એ વાત માને છે અને સમજે છે કે, આપણા રાષ્ટ્રીય જીવનને મજબૂત કરવા તથા અલગ અલગ પ્રાંતના લાકામાં મળવા કરવાની તથા વ્યવહારની એક ભાષા મનાવવાને માટે એ જરૂરનું છે કે, હિંદુસ્તાની જખાનની આબાદી કરવામાં આવે અને એની રૂપરેખા ઠીક કરવામાં આવે: કારણ કે, આ માટે આ જ ભાષા સૌથી વધુ કામની છે, આ સમેલન નક્કી કરે છે કે, પદર સુધી સભ્યોની એક સર્પિત અનાવવામાં આવે કે જે હિંદુસ્તાની ભાષાના કાશા તૈયાર કરે, ભાષાનું વ્યાકરણ નક્કી કરે, તેના શબ્દનું ભડાળ વધારે, તેમનું રૂપ ખાંધે, અને તેમાં સારી સારી અને કામની ચાપડીએ લખાવે. કાઈ સભ્યની જગા ખાલી થશે તો તેને બાકીના સભ્યો પૂરી શકશે. સમિતિના એક નિમ’ત્રી ( ‘ કન્વીનર ’ ) રહેશે કે જે ચેાગ્ય વખતે તે જગાએ સમિતિની બે ખેલાવ્યા કરશે. આ સમિતિ પોતાના કામના એક ખરડો તૈયાર કરશે તે વિગતવાર ખર્ચના અંદાજ કાઢશે; તેને મહાત્મા ગાંધી પાસે મંજૂરી માટે મોકલશે, અને મહાત્માજીને વખતેવખત પોતાના કામના હેવાલ આપતી રહેશે. આ સમિતિના સભ્યાનાં નામ મહાત્મા ગાંધી, ડૉ. તારાચંદ અને સૈયદ સુલેમાન નદવી પછી જાહેર કરશે.