આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
રાષ્ટ્રિકા
કવિ નર્મદની શતાબ્દી
• અગ્નિશિખા છંદ *[૧] •
સો સો વર્ષતણાં કંઇ વહાણાં વાયાં તુજ પર, હો ગુજરાત !
સો સો વર્ષતણી સંધ્યાનાં તારાં સ્વપ્ન સર્યાં અભિજાત :
સો સો દીપાવલિ ઉલ્લાસી,
સો સો નવલ વસંત વિકાસી,
સો સો વર્ષા વરસી ગઇ ને તારી ખીલી આ મહોલાત !
કોની તગતી ત્યાં તાસીર ? -
એ તો કવિ નર્મદવીર !
એ તો કવિ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !
- ↑ ** આ નવા છંદની રચના માટે ૨૮મા પૃષ્ઠ પર "સૌની પહેલી ગુજરાત" નીચેની નોંધ વાંચવી.