આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મહાવિભુ તદપિ ન અભય આપ્યું, નમાવ્યા નૃપ પાય,
હરિ 'અકર્તુમ્' લક્ષણ તણો, એ કથ્યો અણુ મહિમાય. ૪
સૌભરી મુનિ શુચિઅસંગી, જલ ભીતર જપ અવિનાશ;
રતિ મચ્છ દાખી ચળાવ્યા, પરણિયા સ્ત્રી પંચાશ. ૫
મૃગ દયા પાળ્યો તદપિ, દ્વિ જન્મ ધરાવ્યા હરિ ભરત;
અઘ નામ ગતિ મુચકુંદ તે, પ્રભુ પ્રકટ મુક્તિ ન તરત. ૬
પુરી અયોધ્યા વૈકુંઠ સહુ, નિજ પિતા પ્રેમી સ્વર્ગ;
મહાપાપી પારધી ગીધ આદિ અલ્પમાં અપવર્ગ. ૭
એ 'અન્યથાકર્તુમ્' સુલક્ષણ, શ્રીપતિમાં સત્ય;
જન દયાપ્રીતમ કૃષ્ણ અતકર્ય, માહાત્મ્ય અકલિત ગત્ય. ૮