પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



બધા ખડખડાટ હસી પડ્યા, રાજપુત્રના સોબતીએ બીજાની મશ્કરી કરતાં પોતાની જ ફજેતી કરાવી. એણે લંગડાતે લંગડાતે ખેડૂતકન્યાની પાસે આવીને કહ્યું: “તું જેવી તેવી સ્ત્રી નથી. તું અમારા શિકારી રાજકુમારની રાણી થા. તારે બીજું કાંઈ નહિ કરવું પડે. એમની સાથે ઘોડા ઉપર બેસીને શિકાર ખેલજે અને લડાઈમાં સાથે રહીને યુદ્ધ કરજે.”

ખેડૂતકન્યા શરમાઈને ત્યાંથી ચાલી ગઈ, પણ ખરેખર અરિસિંહની ઇચ્છા એ કન્યા સાથે લગ્ન કરવાની હતી. વીર પુરુષ વીરાંગનાની મર્યાદા જાણે છે. આવી વીર્યવતી સ્ત્રી ઉપર કયો વીર પુરુષ મોહિત ન થાય ? રાજકુમારે પોતાના સોબતીઓને જણાવ્યું હતું કે, “જો એ રજપૂત કન્યા હશે તો હું એને જરૂર પરણીશ.”

રાજપુત્રે રાજધાનીમાં જવાનું મુલતવી રાખીને, એ ગામમાં એ કન્યાના કુળ સંબંધી તપાસ કરી, તેને ખાતરી થઈ કે એ વીર બાલા ક્ષત્રિયકન્યાજ છે.

ખેડૂતને બોલાવીને રાજપુત્રે તેની આગળ વિવાહનું માગું કર્યું, પણ વૃદ્ધના મનમાં કોણ જાણે શી ધૂન ભરાઈ કે એણે એ વિનતી સ્વીકારી નહિ.રાજપુત્ર નિરાશ થઈ ચિતોડ પાછો ગયો.

વૃદ્ધે ઘેર જઈને પોતાની સ્ત્રીને બધી વાત કહી. રાજાના કુંવર જમાઇ થવા આવ્યા અને સ્વામીએ તેને જાણી જોઈને પાછો ઠેલ્યો, એ જાણીને એ સ્ત્રીએ ડોસાને ઘણોજ ધમકાવી નાખ્યો અને કહ્યું: “હમણાં ને હમણાંજ છોકરીને લઈને ચિતોડ જાઓ. રાજપુત્રને આગ્રહ કરીને આપણી છોકરી તેમની સાથે પરણાવો.”

વૃદ્ધને પણ પોતાની ભૂલને માટે પસ્તાવો થવા લાગ્યો અને એ કન્યાને લઈને ચિતોડ ગયો. કુમાર અરિસિંહ આવી પરાક્રમી પત્ની મળવાથી પોતાનું અહોભાગ્ય માનવા લાગ્યો. એ ખેડૂતકન્યાના ગર્ભમાં અરિસિંહના જયેષ્ઠ પુત્ર હમીરનો જન્મ થયો. અલાઉદ્દીનને હાથે જે વખતે ચિતોડના રાજ્યનો નાશ થયો તે વખતે હમીરનું વય ફક્ત બાર વર્ષનું હતું. એ સમયે એ પોતાની માતા સાથે મોસાળમાં હતો.

આવી પરાક્રમી માતાનો પુત્ર હમીર હીનવીર્ય હોય એ તો કદી બની શકે જ નહિ. એ હમીરેજ આખરે ચિતોડનો ઉદ્ધાર કરીને ફરીથી રાણાવંશની ત્યાં સ્થાપના કરી. જે પહાડી પ્રદેશમાં