પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંભરિયા

[અત્યાર સુધીના લગભગ બધા મળતા આવતા છંદોની એકતાનતામાં દોમળિયા નામનું આ વૃત્ત વિવિધતા આણે છે. નાદને હિસાબે આ કાવ્ય અન્ય સર્વથી ચડે છે. શબ્દ–ગૂંથણી શુદ્ધ ડીંગળી છે, અને એટલી બધી સહજ રીતે આવી ગઈ છે, કે પ્રયાસની તાણ તૂંસ દેખાતી નથી. તોપ–ગોળાની ગતિએ શબ્દો વાયુમાં હિલ્લોલ લેતા ચાલે છે; પરંતુ કમભાગે આની બાર કડીઓમાંની ફક્ત ચાર જ, કે જે ધ્રાંગધ્રા પંથકના બે મોતીસર ભાઈઓને કંઠે હતી, તે ભાવનગર કવિ શ્રી. પીંગળશીભાઈને ઘેર તેઓને ભેટો થઈ જતાં પ્રાપ્ત થઈ. બાકીની આઠ તેઓના ચોપડામાં છે. પ્રયાસ કરવા છતાં હજુ તે હાથ લાગી નથી. કોઈ મામૈયા નામના મોતીસરે એના આશ્રયદાતા ચારણ અજુભાઈ નથુભાઈની સ્મૃતિમાં આ મરશિયા રચ્યા છે. કવિ કે દાતાનાં ગામની જાણ નથી. મોતીસર નામની એક જાચક કોમ છે. એની ઉત્પત્તિ વગેરે માટે પ્રવેશકમાં જોવું.]

રાગ ઝકોળા સાત રસ
તાલ ઠણંકા તાલ,.
કાવા પાવા કેસરા;
ઘર આવા અજમાલ !

[રંગ રાગની રેલમછેલ બોલે છે. સાતે રસ લેવાય છે. નાચ