પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


હું મારાં પાત્રો કેમ સર્જું છું ?

આ પ્રશ્ન સમજવો અને સમજાવવો જરા કઠિન છે. લેખકનાં માનસિક સંચલનો અનેક વ્યક્તિગત અને સામાજિક પ્રવાહોનું પરિણામ હોય છે. એ દૃષ્ટિએ પાત્રસર્જન કરતા લેખક એના જ યુગે સર્જેલું એક પાત્ર જાતે જ બની ગયેલો હોય છે.

ઉપરાંત તે વાસ્તવ કે આદર્શપાત્રો સજી પોતાના તેમ જ આગામી યુગના સર્જનમાં સારા કે માઠા ફાળા આપે છે. અને ઓછા વધતા પ્રમાણમાં એ અંગત તેમ જ સામાજિક જીવનનો જવાબદાર ઘડવૈયો બની રહે છે; પછી એ કોઈ ઉદ્દેશથી લખતો હોય કે ઉદ્દેશ વગર પાત્રસર્જન કરતો હેાય, ખરી કે ખોટી રીતે લેખક તરીકે સ્વીકાર પામેલી વ્યક્તિને આ પ્રશ્ન જરૂર પૂછાય.

મેં પણ કાંઈક લખ્યુ છે અને લખવાના ચાળા હજી કરી રહ્યો છું. એટલે પ્રશ્નનો ઉત્તર મારે આપવો રહ્યો-જો કે હું જાણું છું કે આ પ્રશ્નનો ઉત્તર ભાગ્યે જ કોઈ લેખક સમાધાન થાય એવા સંપૂર્ણ પણે આપી શકે.

પ્રથમ તો હું મને જ પૂછી જોઉં કે હું શા માટે લખું છું ?

કેટલાક મહામાનવોને જીવનસંદેશ આપવો હોય છે માટે તેઓ લખે છે એમ કહેવાય છે. હુ તો હજી સદેશ શેાધું છું. મારામાં સંદેશ આપવાનું મહત્ત્વ નથી.

પૈસા મેળવવા હું લખું છું? હજી પશ્ચિમની માફક લેખન-વ્યવસાય હિંંદમાં રોજી આપતો ધંધો બન્યો નથી; બને તેા ખોટું પણ નથી. છતાં એક એક નવલકથાના મને માત્ર પચાસ રૂપિયા મળ્યા એ પણ મને યાદ છે. લેખન ઉપર મારું ગુજરાન હું ચલાવી શક્યો ન હોત.

કદાચ પ્રતિષ્ઠા માટે હું લખતો હોઉં તો ? પરંતુ લેખનમાં પ્રતિષ્ઠા ગુમાવવાનો પણ ભય હોય છે, અને પ્રતિષ્ઠાનું તત્ત્વ અશત : ભાગ