પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨

સુન્દરતાના અભિમાનની લ્હેમાં દેવને એક ટશે ન્યાળી રહી બીહાગ ગાતો હતો.

રાધે૦- જી મહારાજ, શ્રીકૃષ્ણ પરમાત્માને માટે રાધિકાજી વાસકસજ્જા થઈ આખી રાત વાટ જોઈ રહ્યાં હતાં. સંસારની રાત્રિમાં ભક્ત પણ તેવીજ વાટ જુવે છે, એ વિયોગ અને આતુરતાને કાળે ૨ાધિકાજીએ જેવી રીતે કાળક્ષેપ કર્યો તેનું જ અનુકરણ ભક્ત કરે છે. એ રાત્રિ પુરી થઈ ત્યારે જ રાધાજીને પ્રભુ મળ્યા. સાધારણ કામી જનનો મેળાપ રાત્રે થાય છે. રાધિકાજીની પરા ભક્તિને પ્રભુ વશ થયા તે તો માયાનો અધિકાર ગયો અને આતુર ભક્તિની સીમા આવી ત્યારે. રાધાસ્વરૂપ થઈ રાધિકેશજીનો ભક્તિયોગ ધરતાં ધરતાં આ ભક્તનું હૃદય દ્રવે છે તે જુવો.

સરસ્વતીચંદ્રે દૃષ્ટિ ફેરવી. ગાનાર ભક્તને પોતાના કીર્તનમાં અન્ય પદાર્થનું ભાન જ ન હતું. તે એકનું એક પદ ફરી ફરી ગાતો હતો.

“જલસુત[૧] વિલખ ભયે, સુરતબીનર.[૨] જલસુત વિલખ ભયે! (ધ્રુ૦)
હિમસુતાપતિરિપુ*[૩] તન પ્રકટે... ખગપતિ૩.[૪] ચખ ન પયે૪.[૫] સુરત૦
સારંગસુતા૫.[૬] સારંગ૬.[૭] લીયો કરપે... સારંગ૭.[૮] સ્થિર ભયે: સુ૦
સારંગ દેખ રીઝ રહે સારંગ૮.[૯]... લે રથ રાખ રહે રે ! સુ૦
સારંગસુતઅંક૯.[૧૦] કર લીનો...સારંગચિત્ર૧૦.[૧૧] ઠયે૧૧.[૧૨] ; સુત૦
સારંગ દેખ ચૌકે ઓહી સારંગ... લે રથ ભાગ ગયેરે. સુ૦
પ્રાત ભયો જબ પ્રકટે કચ્છપનંદન૧૨.[૧૩] , સંતન સુખ ભયે । સુ૦
સુરદાસ કહત હરિપ્રતાપ વ્રજવનિતા સુખ લહે.૧૩[૧૪] સુ૦

છેલી પંક્તિ ફરી ફરી ગાઈ અશ્રુ ભર્યો ભક્ત લાંબો થઈ દેવને સાષ્ટાંગ


  1. કમળ; રાધાનાં નેત્રકમળ.
  2. ર.(કૃષ્ણ-ચંદ્રની) સુરત એટલે મુખછબી વિના.
  3. *કામદેવ, મદન.
  4. ૩.ખગપતિ= ગરૂડપતિ=કૃષ્ણ.
  5. ૪.ચખ (ચક્ષુ, આંખ) ખગપતિને પીતી (પામતી) નથી.
  6. ૫/રાધા.
  7. ૬.વીણા.
  8. ૭.હરિણ.
  9. ૮.ચંદ્રમાનું હિરણ.
  10. ૯.સારંગ એટલે દીપ; તેનો પુત્ર કાજળ. કાજળનો અંક (નિશાની) હાથમાં કર્યો.
  11. ૧૦.સારંગ એટલે વાધ. વાઘનું ચિત્ર.
  12. ૧૧. ઠયે = ચિત્ર્યું.
  13. ૧૨.કશ્યપનંદન = સૂર્ય.
  14. ૧૩કૃષ્ણને વિયોગે રાધાએ વીણા લેઈ વિનાદ ઈચ્છ્યો, ત્યારે તે સાંભળવા હરિણવર્ગ અને ચંદ્ર સ્તબ્ધ થઈ ઉભા, રાધાએ વિરહથી ચંદ્રદર્શન ન વેઠાતાં હથેલીમાં કાજળ વડે વાઘ ચિત્ર્યો. તે જોઈ હરણ નાઠાં. ચંદ્રનું હરણ પણ બ્હીન્યુ ને રથ લેઈ નાઠું તે ચન્દ્ર અસ્ત થયો ત્યાં સૂર્ય ઉગ્યો ને કૃષ્ણદર્શન પણ થયાં. એ આ પદનો અર્થ.