પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪o
न पुत्रदारा न झातिर्धर्मस्तिष्ठति केवलः ॥
एकः प्रजायते जन्तुरेक एव प्रलीयते ।
एकोनुभुङ्क्ते सुकृतमेक एव च दष्कृतम् ॥
मृतं शरीरमुत्सृज्य काष्ठलोष्टसमं क्षितौ ।
विमुखा बान्धवा यान्ति धर्मस्तमनुगच्छति ॥
तस्माद्धर्मं सहायार्थं नित्यंं संचिनुयाच्छनैः ।
धर्मेण हि सहायार्येन तमस्तरति दुस्तरम् ॥
धर्मप्रधानं पुरुषं तपसा हतकिल्विषम् ।
परलोकं नयत्याशु भास्वन्तं स्वशरीरिणम् ॥

"સંસારીને માટે ધર્મ આવો છે તો સંન્યાસીને માટે ધર્મ મનુએ જ કહેલા છે."

[૧]नाभिनन्देत मरणं नाभिनन्देत जीवितम् ।
कालमेव प्रतीक्षेत निर्देशं भृतको यथा ॥
अवेक्षेत गतीर्नॄणां कर्मदोषसमुद्भवाः ।
निरये चैव पतनं यातनाश्च यमक्षये ॥
विप्रयोगं प्रियैश्चैव संयोगं च तथा ऽप्रियैः ।
जरया चाभिभवनं व्याधिभिश्चोपपीडनम् ।
देहादुत्क्रमणं चाष्मात् पुनर्गर्भे च संभवम् ।

  1. મરણનું તેમ જીવિતનું એકનું પણ અભિનન્દન તેણે-સંન્યાસીએ ન કરવું; સેવક સ્વામીની આજ્ઞાની વાટ જુવે તેમ કાળની જ વાટ જોવી. કર્મદોષથી ઉત્પન્ન થયેલી મનુષ્યની ગતિએાનું અવલોકન કર્યા કરવું; તેમજ બીજી વસ્તુઓ પણ તેણે જોવાની છે – જેમકે મનુષ્યોના નરકપાત, યમલોકમાં વેદનાઓ, પ્રિયવસ્તુના વિયોગ, અપ્રિયના સંયોગ, વૃદ્ધાવસ્થાથી થતો પરાભવ, વ્યાધિએાથી થતી પીડાઓ, આ દેહમાંથી નીકળવું, ફરી ગર્ભમાં સંભવ, હજારકરોડો યોનિએામાં આ અંતરાત્માની સંસૃતિયો, અને શરીરીયોને અધર્મથી થતા દુઃખયેાગ અને ધર્માર્થથી થતો અક્ષય સુખયોગ એ સર્વની ચતુર્થાશ્રમીએ અવેક્ષા (અવલોકન) કરવી. વળી યોગવડે પરમાત્માની સૂક્ષ્મતાની અને ઉત્તમ અધમ દેહોમાં સમુત્પત્તિની અન્વીક્ષા તેણે કરવી. પોતે સ્વાશ્રમ ધર્મમાંથી દૂષિત થાય તો પણ ગમે તે આશ્રમથી તૃપ્ત રહી ધર્મ ચરવો અને સર્વ ભૂતો પ્રતિ સમાન ર્‌હેવું કારણ સંન્યાસનું ચિન્હ જ ધર્મનું કારણ છે, એમ નથી. વળી ઉંચાં નીચાં ભૂતોમાં અંતરાત્માની જે ગતિ છે તે અકૃતાત્મ જનોથી જોવાય સમજાય એવી નથી તેને આ આશ્રમવાળાએ ધ્યાનયોગથી જોઈ લેવી. (મનુ)