વૃ૦ વા૦- વાલીના ખેંચેલા તારમાંથી નીકળેલા સ્વર ત્હેં સાંભળ્યા.
એ સ્વરનું તારતમ્ય તમારા અર્જુનનાં પરાક્રમથી પણ જોઈ લે. ખાંડવ
વનમાં અસંખ્ય ભૂતોને જે દાવાગ્નિએ અર્જુન અને કૃષ્ણનું સાહાય્ય
પામી બાળ્યાં હતાં તે જ સર્વ ભૂતનો સંહારક દાવાગ્નિ આ કાળમાં સર્વ
સંસારને વીંટી લે છે. સમુદ્રના દેવ વરુણની પાસેથી અગ્નિને પ્રતાપે તમારા
અર્જુનને જે રથ અને અસ્ત્ર મળ્યાં હતાં તે જ અમારા અર્જુનને એ
જ વરુણ પાસેથી એ જ અગ્નિના પ્રતાપથી મળ્યાં છે, અને એવો જ
દાવાગ્નિ સર્વ ભૂતોની આશપાસ સળગાવતો એવો જ રથ આ
યુગમાં ફરી વળે છે. એ વરુણના આપેલા અને આ મહાસાગરો ઉપર
ચાલતા આ રથની ધ્વજયષ્ટિ ઉપર અમે કપિલેાક અમારા સિંહકેતનને - British Lion ને – લેઈ બેસીયે છીયે. [૧]અમારી જોડે એ જ
રથને શિરે બીજાં પ્રાણી પણ બેસે છે તે તમે જોયાં ને જોશો. ભાઈ
પોપટ, ત્હારામાં ઉડવાની શકિત હોય તો ઉડીને આ રથ ઉપર બેસી જા.
ત્હારો અમારો અર્જુન જુદો નથી, પણ પ્રવાસે નીકળેલો અર્જુન
ત્હારા દેશને છેડી આણી પાસ આજ ફરે છે ને પંચમહાસાગર અને
વચલી પૃથ્વી ઉપર એના વાયુરથનાં ચક્રો જેવાં આ અસંખ્ય સૂત્રો સર્વ
દેશના વાતાવરણમાં ફરી વળે છે – તેનો ધર્મ હજી વધારે સમજવા,
હોય તો ત્હારા ચિરંજીવીને પુછજે. મયૂરે તને કહ્યું તે સત્ય છે,
ચકોરે ક્હેલું તે પણ સત્ય છે, આ વાલીએ કહેલું સત્ય છે, ને હું
કહું છું તે પણ સત્ય છે. અમે પાળીયે છીયે તે ધર્મ ત્હારા દેશમાં
પ્રવર્તશે તે તું આ રથની ધ્વજયષ્ટિ ઉપર બેસશે ને જો તે તેમ નહી
પ્રવર્તે તો તે અને તું બે જણ અર્જુને પ્રકટાવેલા દાવાગ્નિની જ્વાલાઓમાં
ભસ્મ થઈ જશો. તેમાં અમારો દોષ ક્હાડશો નહીં. . . અમે તો માત્ર
એ રથ દોડે છે તેમ તેને માથે ખેંચાઈએ છીએ ને કલેાલ કરીયે છીયે.
ત્હારે અમારા આનન્દમાં ભાગ લેવો હોય તો મ્હારા કપિલોકને તેટલા
માટે જ ત્હારે ત્યાં મોકલ્યા છે–
- ↑
- तापनीया सुरुचिरा धवजयष्टिर अनुत्तमातस्यां तु वानरॊ थिव्यः ::सिंहशार्थूललक्षणःदिधक्षन्निव तत्र स्म संस्थितो मूर्ध्न्यशोभत।ध्वजे भूतानि ::तत्रासन्विविधानि महान्ति च।।तत्रादैरिपुसैन्यानां श्रुत्वा संज्ञा प्रणश्यति ॥
- આદિપર્વ, ખાંડવ દહનપર્વ. અર્જુનને મળેલા રથનું વર્ણન.
- तापनीया सुरुचिरा धवजयष्टिर अनुत्तमातस्यां तु वानरॊ थिव्यः ::सिंहशार्थूललक्षणःदिधक्षन्निव तत्र स्म संस्थितो मूर्ध्न्यशोभत।ध्वजे भूतानि ::तत्रासन्विविधानि महान्ति च।।तत्रादैरिपुसैन्यानां श्रुत्वा संज्ञा प्रणश्यति ॥