પોતાની પ્રાસાદિક શક્તિ કવિ તરીકે અજમાવતા હતા. એમનાજ બોલમાં કહીએ તો: —
"કાવ્ય અલંકાર તણા ગ્રંથનો અભ્યાસ કરી
જીવ જોડી રાખ્યો તો મેં કવિતાની જકમાં;
શોધતો હતો હું કોઈ શાણો સરદાર નર
બોધતો હતો હું મહીનાથને મુલકમાં;
કોઈ દીલદાર ને ઉદાર દરબારમાં હું
રહેવાની રૂચી અતિ રાખતો ઇશકમાં;
દીલમાં વિચારતો હું હતો દલપત કહે
ફારબસ તણું તેડું આવ્યું તેવી તકમાં. ૧
ખાનપરે દ્વારે જ્યારે નદિને કિનારે સારે
મેળો થયો મારે ચાંદા સૂર્યના મહેલમાં;
ઇસ્વિસો અઢારે અડતાળીશમી સાલ ત્યારે
પ્યાર કીધો પ્યારે પરિપૂરણ પહેલમાં.”
ક૦ દ૦ ડા૦
ગુજરાતનો પૂર્વ મહિમા જેમ જેમ એમના જાણવામાં આવ્યો તેમ તેમ ગુજરાત ઉપર એમને અધિક અધિક પ્રીતિ થતી ગઈ અને પોતાનું તન મન અને ધન એને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. જૂની કવિતા, હસ્તલિખિત ગ્રંથોની ખોળ કરવા માંડી અને ઠેકાણે ઠેકાણેથી કવિ અને જૂની વાત જાણનારાઓને બોલાવી બોલાવી સત્કાર કરી શોધનું કામ કરવા માંડ્યું. કવીશ્વર દલપતરામના શબ્દમાં બોલતાં
"કવિતાનો કોઈ ભૂપ ભાવ પુછનાર નથી,
બીજે ધંધે ધાયા કવિ ધારી એવાં કારણો;
એવામાં કવિનો મેળે કિન્લાક સાહેબે કીધો,
સાંભળી કવિતા આપ્યાં ઈનામ સંભારણો;
દીલનો ઉદાર દીઠો, દેવાંશી દાતાર દીઠો
દાખે દલપત દીઠો દારીદ્ર વિદારણો;