પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સાઠીનૂં વાઙ્ગમય.

પણ અંતર સાક્ષી દે, તુજ પતિવૃત નિષ્કલંક છે તેની;
વેઠવું દાસપણું પણ, તો રહી ઘટે પતિકુળે તુજ, બેનીઃ ૧૪૦

માટે તારે તો અહિં રેહેવાનો ધર્મ છે. અને અમારે તરત જવું જોઈએ.

રાજાo ( પોતાના ગોરને ) હે ગોરમહારાજ, હવે મારે શું કરવું તે કોહો. આ બેમાંથી કયામાં વધારે અને કયામાં ઓછું પાપ છે ?

ગીતિ.

બન્યો મૂઢ હું કે આ, મિથ્યા વાણી વદે છ એ વ્હેમ ?
દારા ત્યાગ કરૂ કે, પરસ્ત્રિ સ્પર્શથિ લઉં દોષ તન એમ ?  ૧૪૨

પુરોહિતo ( વિચારીને ) ત્યારે તો તમારે એમ કરવું જોઈએ.

રાજાo કોહો મહારાજ કેમ કરવું તે.

પુરોહિતo એ બાઇ જણે ત્યાં સુધી એ મારે ઘેર રેહે. તેનું કારણ પુછશો તો હું કહું છું. પૂર્વે તમને સાધુ પુરૂષનું વચન છે કે તમને પહેલો ચક્રવર્તી પુત્ર થશે. માટે જો કણ્વ રૂષિનો દોહિત્ર ચક્રવર્તી થયો તો તમે એને આદરસત્કાર કરીને તમારા અંતઃપુરમાં લેઈ જશોજ. નહિ તો પછી એને એના બાપને ઘેર જવું જરૂર છે.

રાજાo જેવી ગોર મહારાજની ઇચ્છા. તમને જો એમ સારૂં લાગે તો એમ થવા દો.

ગોરo બેટા આવ મારી પાછળ.

શકુંo હે ભગવતી ધરતી મા, હવે જો તું મને માગ આપે તો તારા પેટમાં સમાઇ જાઉં વીટંબણા બહુ પડી.

( એમ કહી ગોરની સાથે રડતી રડતી ચાલી જાય છે–તપસ્વિઓ પણ તેની પાછળ જાય છે )

( ૨ ) રા. યાજ્ઞિકના ભાષાન્તરમાંથી.

ઋષિયોo ( હાથ ઉંચા કરીને ) જય જયકાર થાઓ, મહારાજ.

રાજાo સર્વેને નમસ્કાર કરૂં છું.