આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તેવા હો, પણ મારે મન રાજા છો. ઇચ્છા એક જ છે કે ગુજરાતની સેવા કરતોકરતો રણના સાથરે સૂઉં.”
‘તમારા જેવા વીરો પર મને ગર્વ છે !' સિદ્ધરાજે કહ્યું ને સભા બરખાસ્ત કરી.
દીકરો માત્ર વીરતાનો અવતાર જ નથી, વિવેકનો અવતાર છે, એ જોઈ મીનલદેવીની આંખો આંસુથી છલકાઈ ગઈ.
હર્ષના ને ઉત્સાહના અવાજો વચ્ચે સભા દરખાસ્ત થઈ.
ટૂંકા દહાડામાં ગુર્જરસેના માળવા તરફ કૂચ કરી ગઈ.
વગર તલવારે ઘા ᠅ ૭૭