પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સોરઠી સંતો
 

 
અમરાપુરીનો ગઢ ભેળતાં
સહુને હોશે હાણ;
મોટા મુનિવરે મન જીતીયાં
જીત્યાં અમરાપુરીના ધામ - વીરા મારા૦

અલખ નરને કોણે ન લખ્યો
અણલખ્યો અવતાર;
[૧]ટાંક લઈને કોણે ન તેળ્યા
અણતોળ્યો એનો ભાર – વીરા મારા૦

આ કળજુગને કૂડીએ
પેરી બગાડ્યે ભેખ;
આંધળે વાટું પકડીયું ને
દીઠા વણનો રે દેશ – વીરા મારા૦

[૨]નીર નવાણે ને ધરમ ઠેકાણે
વાવળીયા વહી જાય;
વેલનાથ-ચરણે રામ બોલ્યા
સતે સત રે થપાય – વીરા મારા૦

પોતાના ગુરૂજીનો મહિમા ગાય છે. ગુરૂને પ્રભુપદ આપી દે છે. પ્રભુ ને ગુરૂ એકાકાર થઈ જતા દેખાય છે. પોતે જાણે પોઢેલી સુંદરી છે ને ગુરૂ રૂપી સાયબો દુશ્મનેને કાપવા માટે અખંડ જાગૃત રહી એની રક્ષા કરે છે:


  1. ૧ તાલાં ત્રાજવાં
  2. ૨ 'નીર નવાણે ને ધરમ ઠેકાણે' એ કહેવત થઈ પડેલ છે. ભાવ એ છે કે હવે તે ધર્મ કોઇ કોઇ ઠેકાણે જ રહ્યો છે,