આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સોરઠી સંતો
- અનહદ વાજાં વાગીયાં સ્વામી !
- જોઉં તમારી વાટ રે;
- હું સુવાગણ સુંદરી
- મારે તમારે વિશવાસ રે – આવો તો૦
- અનહદ વાજાં વાગીયાં સ્વામી !
- કાયામાં [૧]કાળીંગો વ્યાપ્યો
- થોડે થોડે ખાય રે :
- ભવસાગરમાં બેડી બૂડતાં
- બાવે પકડેલ બાંય રે – આવો તો૦
- કાયામાં [૧]કાળીંગો વ્યાપ્યો
- [૨]સામસામાં નિશાન ઘુરે ધણી !
- ઘાયે પડઘાયે જાગ રે;
- ખડગ ખાંડું હાથ લીધું
- ભાગ્યે, કાળીંગો જાય રે – આવો તો૦
- [૨]સામસામાં નિશાન ઘુરે ધણી !
- વેલનાથ તમારા હાથમાં
- બાજીગરના ખેલ રે;
- વેલા ચરણે બોલ્યા રામૈયો
- ફેર [૩]મનખ્યો લાવ્ય રે-આવો૦
- વેલનાથ તમારા હાથમાં
કહે છે કે પૂર્વે આ ગીત ગવાતું ત્યારે સહુ માણસો દેખે તેમ પત્થરોમાંથી પાણીનાં ઝરણ આવતાં અને વીરડા જળે ભરાતા.
એ પરથી તો વરસ મપાતું. વીરડા છલી જાય તો સોળ આના વરસ : ને અધૂરા રહે તો તે પ્રમાણે.
વરસની એંધાણી જોવા માટે ઘણા ઘણા કણબીઓ ત્યાં જતા. નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે.