પૃષ્ઠ:Sorathi Santo.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સોરઠી સંતો
 


મોરબીને ઠાકોર ન માન્યો. ફરી ગેારખે કહેવરાવ્યું :

“દરબારને કહો કે ગોરહરનાં દૂધ નહિ ઝરે બાપ !”

તોયે દરબારને ડહાપણ ન આવ્યું. થાનમાં બેઠાં બેઠાં, હોકો પીતા રાયકાને ભગતે પૂછ્યું કે “ભીમડા ! તારાં હાથમાં ઇ શું છે બાપુ ?”

“હોકાની ને' છે બાપુ !”

“એનું બીજુ નામ શું ?”     "નાળ્ય.”

“હાં બાપ ! ઈ યે નાળ્ય : બંધૂક તોપની નાળ્ય જેવી, કર એને મોરબીના ગઢ સામી લાંબી ને માર ફુંક.”

ભીમડાએ પહેલી ફુંક દીધી. અને ભગત બોલ્યા કે “ શાબાસ ! મોરબીનો ગઢ તૂટ્યો. હાં ફુંક ફરીને !"

“વાહ ! એ...ઘોડાહારના ભુકા !”   “બસ ! એ...કુંવર ઉડ્યો !”

એ દંતકથાનું એક ગીત છે :

ખરો કાળ ઝમઝાળ ગેારખો ખીજીઓ
માલ ગેારખ તણો ન થાય મીઠો,
ગઝબની ચોટ જાદર તણો ગેારખો
દેવાતણ આકરો નતો દીઠો.

કમતીઆ કેસરા એમ *[૧]જાડા કહે
કુલ ઘોડે ચડ્યો હૈયાફુટ્યો,
ઘેાડાર્યું બાળ્યને કુંવરને ઉડવ્યો
રાજ બેાળી દીયે *[૨]ઝળુ રૂઠ્યો.

પરગણું બધું નડેડાટ ઉજ્જડ પડ્યું
કોપીઓ માળીઆ સરે મટે ક્યાંથો,
મોરબી સરે ખૂટામણ નો મટે
મોરબી ફૂટતી ફરે માથો.

તોળાં કડોળાં તણી આવેને કરી આળ
મોરબીને સર મહારાજ ! ગઝબ ઉતાર્યો તે ગેારખા.


  1. ૧. જાડેજા.
  2. ૨. ગેારખો 'ઝળુ' શાખનો કાઠી હતો.