મોરબીને ઠાકોર ન માન્યો. ફરી ગેારખે કહેવરાવ્યું :
“દરબારને કહો કે ગોરહરનાં દૂધ નહિ ઝરે બાપ !”
તોયે દરબારને ડહાપણ ન આવ્યું. થાનમાં બેઠાં બેઠાં, હોકો પીતા રાયકાને ભગતે પૂછ્યું કે “ભીમડા ! તારાં હાથમાં ઇ શું છે બાપુ ?”
“હોકાની ને' છે બાપુ !”
“એનું બીજુ નામ શું ?” "નાળ્ય.”
“હાં બાપ ! ઈ યે નાળ્ય : બંધૂક તોપની નાળ્ય જેવી, કર એને મોરબીના ગઢ સામી લાંબી ને માર ફુંક.”
ભીમડાએ પહેલી ફુંક દીધી. અને ભગત બોલ્યા કે “ શાબાસ ! મોરબીનો ગઢ તૂટ્યો. હાં ફુંક ફરીને !"
“વાહ ! એ...ઘોડાહારના ભુકા !” “બસ ! એ...કુંવર ઉડ્યો !”
એ દંતકથાનું એક ગીત છે :
ખરો કાળ ઝમઝાળ ગેારખો ખીજીઓ
માલ ગેારખ તણો ન થાય મીઠો,
ગઝબની ચોટ જાદર તણો ગેારખો
દેવાતણ આકરો નતો દીઠો.
કમતીઆ કેસરા એમ *[૧]જાડા કહે
કુલ ઘોડે ચડ્યો હૈયાફુટ્યો,
ઘેાડાર્યું બાળ્યને કુંવરને ઉડવ્યો
રાજ બેાળી દીયે *[૨]ઝળુ રૂઠ્યો.
પરગણું બધું નડેડાટ ઉજ્જડ પડ્યું
કોપીઓ માળીઆ સરે મટે ક્યાંથો,
મોરબી સરે ખૂટામણ નો મટે
મોરબી ફૂટતી ફરે માથો.
તોળાં કડોળાં તણી આવેને કરી આળ
મોરબીને સર મહારાજ ! ગઝબ ઉતાર્યો તે ગેારખા.