પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫
સર્વ ધર્મપરિષદ.


જે દિવસે પરિષદની શરૂઆત થઈ તે દિવસનું વર્ણન આપતાં સ્વામીજી લખે છે કે, “પરિષદ્‌ને ખુલ્લી મુકવાના દિવસે સવારમાં અમે બધા એક મકાનમાં ભેગા થયા હતા. જગતની સઘળી પ્રજાઓના પ્રતિનિધિઓ ત્યાં આવેલા હતા. પછી એક સરઘસના આકારમાં અમને બધાને પરિષદના મકાનમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં ઉચ્ચપીઠિકા (પ્લેટફોર્મ ) ઉપર બેસાડવામાં આવ્યા. એક મોટો ભવ્ય હૉલ અને તેની ઉપર આસપાસ આવેલી મોટી ગેલેરી અને તેમાં અમેરિકાનાં સુશિક્ષિત છ સાત હજાર માણસો બેઠેલાં છે અને તેની ઉચ્ચ પીઠિકા ઉપર આખી દુનિયાના વિદ્વાન મનુષ્ય આવીને બેઠેલા છે; એવી મનમાં કલ્પના કરો. અને હું કે જેણે કોઈ દિવસ પણ આવા અસામાન્ય જનસમૂહ આગળ વ્યાખ્યાન આપ્યું નથી, તેણે તે ભવ્ય સભા આગળ જાહેર વ્યાખ્યાન આપવાનું છે ! ઘણા દબદબા સાથે સંગીત, અને ભાષણો વડે પરિષદની શરૂઆત થઈ. પછીથી પ્રતિનિધિઓનું એક પછી એક ઓળખાણ કરાવવામાં આવ્યું. તેઓ એક પછી એક આગળ ગયા અને બોલ્યા. મારું હૃદય આ વખતે ધબકી રહ્યું અને મારી જીભ તદન સુકાઈ ગયા જેવી થઇ રહી. હું ઘણોજ ગભરાઈ ગયો અને સવારે તો કંઈ પણ બોલી શક્યો નહિ. મજમુદારે સુંદર વ્યાખ્યાન આપ્યું અને ચક્રવર્તીએ તેથી પણ વધારે સુંદર આપ્યું. તેમની પ્રશંસા થઈ. તેઓ ઘણી તૈયારી કરીને આવ્યા હતા. મારી પાસે કાંઈ પણ તૈયારી નહોતી. હું દેવી સરસ્વતીને પ્રણામ કરીને આગળ ગયો અને ડો. બેરોઝે મારૂં એાળખાણ કરાવ્યું. મેં એક ટુકું વ્યાખ્યાન આપ્યું. જ્યારે તે પુરું થયું ત્યારે તદ્દન થાકી ગયા જેવો થઈને હું બેસી ગયો.”

સઘળા પ્રતિનિધિઓ પોતપોતાના પંથોની શ્રેષ્ઠતા મમત્વપૂર્વક સાબીત કરવાને આવ્યા હતા, અને સ્વામીજી હિંદના પ્રાચીન ઋષિઓનાં