પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


तार्किक बोध.

ભુજંગી છંદ

મચો યે મયાળૂશુણો મિત્ર મારા; પ્રજાના જનોને ગણો પૂર્ણ પ્યારા;
તમે બોધ તાર્કીક ચિત્તે વિચારો, સ્વદેશી જનોને સુ રીતે સુધારો. ૧
સજોરે સુધારો તજો વાત આડી, સુધારાથિ થૈ આજુઓ આગગાડી;
જુનો રાહ મુંબૈ જતાં જે ન છોડે, કહો તે કદી જૈ શકે કષ્ટ થોડે ? ૨

क्रूरचंद, सुरचंद विषे. १.

પંજાબનો રહેવાશી ક્રૂરચંદ, અને ગુજરાતનો સુરચંદ, એ બંને રોજગાર વાસ્તે પરદેશ જતાં રસ્તામાં એકઠા થયા. તેઓ ચાલ્યા જતા હતા તે માર્ગને એક પડખે સુકા તળાવમાં વગર બાંધેલો કૂવો હતો, તેમાંથી કોઈ એક માણસે બૂમ પાડીને કહ્યું કે "અરે મને આમાંથી કોઈ કાઢો" તે સાંભળીને ક્રૂરચંદે તો મનમાં કંઈ ધાર્યું નહીં, પણ સુરચંદે જોયું તો, પાણી પીવા ઉતરતાં ખશી પડેલો. અને ગભરાયેલો આદમી તે કુવામાં દીઠો. પછી તેણે ક્રૂરચંદને બોલાવ્યો. તેણે પણ આવીને જોયું.

સુરચંદ—આપણે બંને જણ મળીને તતબીરથી આને બહાર કાઢીએ.