પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
તાર્કિક બોધ


બ્રાહ્મણ—પચીસ જણ હાજર છે, અને પંદર જણા આવી શક્યા નથી; તેઓને ઘેર દક્ષિણા પહોંચાડવી પડશે.

છોકરો—(બાપને કહે છે) આ કામ મારાથી બની શકશે નહિ. કેમકે વાજબી જણાતું નથી.

શેઠ—આપણે પચ્ચીસ રૂપૈયા ખરચીને શોભા લેવાનું કામ છે. કે ફલાણા શેઠને ઘેર સભા કરી હતી, એવું કહેવાય. બીજી કાંઈ મતલબ નથી.

પછી ઘરના બ્રાહ્મણના કહ્યા પ્રમાણે શેઠે દક્ષિણા વહેંચી. એ રીતે ક્રૂરચંદ, અને સુચંદ, વાતો કરતા જાય છે, ત્યાં આગળ જતાં એક શહેર આવ્યું. ત્યાં વિધવા શેઠાણીનો દીકરો ગુજરી ગયેલો તેથી તે બહુ રોતી, અને કુટતી હતી. તેને સુરચંદે ઘણી શીખામણ દીધી; પણ તે બાઈ છાનિ નહિ રહી. ત્યારે

સુરચંદ—બાઈ, આ સંસાર સ્વપ્ન છે, માટે તેમાંથી તું જાગીશ ત્યારે આ રોવા કુટવાનું સંભારીને તું શરમાઈ જઈશ. અને પસ્તાઈશ કે, સ્વપ્નાની જુઠી વાત હતી, અને મેં શા વાસ્તે એટલો ક્લેશ કર્યો.

બાઈ—ભાઈ, મારી નજરે ઉછરેલો, લાડવાયો દીકરો ગુજરી ગયો, તે સ્વપ્નની વાત કેમ કહેવાય ?

સુરચંદ—એ વિષે લાલા, અને કીકાના સ્વપ્નાની વાત કહું તે સાંભળ.