પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
તાર્કિક બોધ

સ્વપ્ન રહેવાનું નથી.

અરે, પછીથી પરમેશ્વર, તથા મુક્ત લોકો આપણા ઉપર કોપ કેરે, કે આપણો વિશ્વાસ ન રાખે, એવું આપણાથી બકી જવાય, તેનો ખુબ તપાસ રાખવો. આ સંસારનું સુખ, કે દુઃખ જોઈને ઘણા ખૂશી, કે ઘણા દીલગીર થવું નહિ. અને પછીથી પસ્તાવું પડે કે, આવું સ્વપ્નાઅ જેવું મેં જાણ્યું હોત તો, હું આ રીતે કરત નહિ. એવું કરવું નહિ.

દોહરો.

સ્વપ્ન તુલ્ય સંસાર છે, પાપ પુન્ય છે સત્ય;
ચેતિ શકો તો ચેતજો, દે દીક્ષા દલપત્ત. ૧

એ વાત સાંભળીને સૂરચંદને પેલી બાઈએ કહ્યું કે, ભાઈ, તમે કહો છો તે ખરૂં; પણ મારા ઘરનાં માણસો મારી નજર આગળ જેટલાં મરી ગયાં છે, તે મને કદી વસરતાં નથી, અને દૈવે મારા ઉપર મોટો જુલૂમ કર્યો છે.

સુરચંદ—બાઈ, એ વિશે વંશપાળ, અને યમરાજની વાત કહું તે તે સાંભળ.