પૃષ્ઠ:Trishanku.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ : ત્રિશંકુ
 

પ્રશ્ન કર્યો, અને પ્રશ્ન કરતે કરતે તે સહજ તિરસ્કારભર્યું હસ્યો.

‘તમને શું થયું છે હમણાં?’ સરલાએ ગંભીર મુખ કરી પતિ સામે જોઈ પૂછ્યું.

‘ગઈ કાલ રાત્રિથી મને એમ થયું છે કે...'

મક્કમતાપૂર્વક ધીમે ધીમે બોલતા કિશોરને અટકાવી સરલાએ કહ્યું :

'હજી વિશ્વાસ નથી આવતો ? તમારે પગે હાથ મૂકીને કહું છું કે તમારી આગળ આજ સુધી હું એક પણ અક્ષર ખોટો બોલી નથી.'

'હશે. પણ મને એક વિશ્વાસ પૂરો બેઠો.' કિશોરે કહ્યું.

તેના બોલમાં ભયંકર કટાક્ષ રહેલો હતો, છતાં સરળ ભાવે સરલાએ પ્રશ્ન કર્યો :

'શો વિશ્વાસ ?'

'કે... સત્ય, પ્રેમ, ન્યાય અને પ્રતિષ્ઠા તોળાય છે પૈસાને તોલે !' કિશોરે જવાબ આપ્યો.

સરલાને એ વાક્ય સાંભળી જરા ખોટું પણ લાગ્યું. એક ક્ષણ માટે તેનો મુખભાવ પલટાઈ ગયો. છતાં તેણે વાત બદલવા કહ્યું :

‘એમ ?... વારુ, હું ચા કરી લાવું... અને આ ઠંડીમાં તમને જરા તાપણી કરી આપું.'

‘છોકરાં ક્યાં ?' કિશોરે પૂછ્યું.

‘દર્શનભાઈને ત્યાં રમવા ગયાં છે. તમારે આવવામાં મોડું થયું એટલે છોકરાં રડવા લાગ્યા અને દર્શનભાઈ તેમને લઈ ગયા છે.' સરલાએ જવાબ આપ્યો, જેનો કિશોરે પ્રત્યાઘાત પાડ્યો :

'જાય જ ને, જે હસાવે તેને ત્યાં ! ...બાળકો પણ ! નિર્દોષતાના નમૂના!'

‘તમે કાલથી રજા લઈ લો !.. તબિયત સારી નથી લાગતી હોં !' સરલાએ કહ્યું.

'કાલની વાત કાલ ઉપર. મારે તો અત્યારે બહાર નીકળી જવું પડશે.' કિશોરે કહ્યું.

'કેમ ? આવી ટાઢમાં પાછું ક્યાં જવું છે ?'

‘જેના પૈસા છે તેને આપવા બાકી છે. અત્યારે જ આપવા પડશે.' કિશોરે કહ્યું.

'મૂઆ એ પૈસા, પાપનું મૂળ ! આપીને કેમ ન આવ્યા ?' સરલાએ