પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૪૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ નવી કૂકડી તો ઊડીને રંગારાની દુકાન પાસે રંગનું કૂંડું હતું તેમાં પડી, અને મરી ગઈ. ૧૪૬ કૂકડો બીચારો ઘરભંગ થયો એટલે નિમાણો થઈને એક પીંપળાના ઝાડ પર બેઠો. પીંપળો કહે : "ફૂકડાભાઈ, કૂકડાભાઈ ! આજે નિમાણા થઈને કેમ બેઠા છો ?" કૂકડો કહે : કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં.’’ પીંપળો કહે : "અરે !. એ તો બહુ દુઃખની વાત. એ દુઃખથી હું મારાં પાંદડાં ખેરી ખાનું છું.” એમ કહી પીંપળે પોતાનાં પાન ખેરી નાખ્યાં. થોડી વાર થઈ ત્યાં પીંપળા નીચે એક ભેંશ આવી. ભેંશ કહે : "પીંપળાભાઈ, પીંપળાભાઈ ! આજે આમ કેમ ? કાલે તો તમારા પર બહુ સુંદર પાંદડાં હતાં અને આજે એકે ય કેમ નથી ?” પીંપળો કહે : "બેન ! કાંઈ કહેવાની વાત નથી.” ભેંશ કહે : "ભાઈ કહો તો ખરા; છે શું ?" પીંપળો કહે : કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં અને પીંપળપાન ખર્યાં.’’ ભેંશ કહે : "અરે ! આ તો બહુ દિલગીર થવા જેવું ! હું પણ મારાં શીંગડાં પાડી નાખીશ." એમ કહી ભેંશે પોતાના શીંગડાં પાડી નાખ્યાં.