આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૧૪૭
પછી ભેંશ નદીએ પાણી પીવા ગઈ.
નદી કહે : “ભેંશબાઈ ! ભેંશબાઈ ! શીંગડાં ક્યાં ગયાં?”
ભેંશ કહે : “અરે બેન ! કાંઈ કહેવાની વાત નથી.”
નદી કહે : “કહે તો બેન, એવું તે શું છે?”
ભેંશ કહે :
“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
અને ભેંશશીંગ પડ્યાં.”
નદી કહે : “અરે ! આથી મને બહુ શોક થાય છે. હું યે હવે સુકાઈ જઈશ.” એમ કહી નદી સુકાઈ ગઈ.
ત્યાં એક કોયલ નદીએ પાણી પીવા આવી.
કોયલ કહે : “નદીબાઈ, નદીબાઈ ! આ શું ? કાલે તો રૂપાળાં બે કાંઠામાં વહેતાં હતાં, અને આજ પાણીનું ટીપું ય નહિ?”
નદી કહે : “અરે બાઈ ! કાંઈ કીધાની વાત નથી; ગજબ થઈ ગયો છે.”
કોયલ કહે : કહો તો ખરાં બેન ! શું દુ:ખ આવી પડયું છે
નદી કહે :
“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
ભેંશશીંગ પડ્યાં
અને નદી નપાણી.”