પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાનું શાસ્ત્ર
 

 

સાહિત્ય વધારે ને વધારે વાચકો સુધી પહોંચે એ માટે અમે એના પુનર્મુદ્રણનો આ પ્રયાસ કર્યો છે. ગિજુભાઈએ જેવા શિક્ષકની અને શિક્ષણની અને શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહિ, કદાચ વાતાવરણ, સાધનો, સંચાલનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે. પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યા. આદર્શ શિક્ષણ અને એમાંથી સર્જાતો આદર્શ માનવી – એ લક્ષ્ય સાધવામાં ગિજુભાઈનાં પુસ્તકો શ્રેષ્ઠ ફાળો આપી શકે એમ છે. આવાં ઉત્તમ પુસ્તકો પ્રગટ કરતાં અમે સામાજિક ઋણની અદાયગીનો સંતોષ અનુભવીએ છીએ. ૪ પ્રકાશક