પૃષ્ઠ:Veranman.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની રાત
૧૭૫
 

ઉદાસીના સ્વરો ભરે છે.
મારી યે રાત-ફેરીમાં
આ પાંખાળાં એન્જીનો રાત્રિને વીંધે છે
તેમ તેમ હુંયે એક જન્તુ શો
મારા વિલાપ–સ્વરોને હવામાં ભરૂં છું.


હું વરસાવું છું
મૃત્યુ, રૂદન, વેદના :
ઓહ ! મારાં સંહારેલાંઓ,
જીવતાં રે’જો–જીવતાં રે'જો !
તમને હું નથી ઓળખતો;
મેં તો આાંખો મીંચીને માર્યા છે;
અણજાણ્યાં હૃદયમાં અકલ વેદના ભરી દીધી છે.


આકાશમાંથી આવો સંહાર વેરવા
મને આદેશ દેનારા ઓ યુદ્ધ !
હજારો લ્યાનતો હોજો તને !
ઓ શાંતિ–તારલા !
પૂર્વમાં જલદી ઊગજે
કે મુજ જેવાના સંહારક હાથથી
માનવી પરિત્રાણ પામે.