બીરબલ વિનોદ/કીર્તિને કાળ નવ ખાય

વિકિસ્રોતમાંથી
← નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ બીરબલ વિનોદ
કીર્તિને કાળ નવ ખાય
બદ્રનિઝામી–રાહતી
સુખી કોણ? →


વાર્તા ૪૦.

કીર્તિને કાળ નવ ખાય.

એક પ્રસંગે દરબાર ભરાયો હતો. અમીર અને અન્ય દરબારી સૌ કોઈ પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા હતા. એવામાં એક કવિએ આવી કહ્યું :-

દોહરો

કહા ન અબલા કર સકે, કહા ન સિંધુ સમાય;
કહા ને પાવકમેં જલે, કહા કાલ નવ ખાય?

આ સાંભળી બધા વિચારમાં પડી ગયા, એટલામાં બીરબલ બોલી ઉઠ્યો:–

દોહરો.

સુત નહીં અબલા કર સકે, મન નહીં સિંધુ સમાય;
ધર્મ ન પાવક મેં જલે, કીર્તિ કાલ નવ ખાય.

આ જવાબ સાંભળી બધા. “ વાહ, વાહ પોકારી ઉઠ્યા. પેલો કવિ પણ આનંદ પામ્યો, એટલે બાદશાહે બન્નેને ઈનામ આપ્યા.