બીરબલ વિનોદ/ચાર પ્રશ્નો(૨)

વિકિસ્રોતમાંથી
← કબુતરનું કૌતુક બીરબલ વિનોદ
ચાર પ્રશ્નો(૨)
બદ્રનિઝામી–રાહતી
દીવા હેઠળ અંધારૂં →


વાર્તા ૮૧.

ચાર પ્રશ્નો.

એક પ્રસંગે બાદશાહે દરબારમાં બીરબલને પૂછયું કે “બીરબલ ! દરેક પ્રાણી માત્ર જે ચંદ્ર સૂર્યને જોઈ શકે છે અને તે સૂર્ય ચંદ્રના પ્રકાશ વડે દરેક વસ્તુ જોઈ શકાય છે; છતાં એવી કોઈ વસ્તુ હશે જે તેમના પ્રકાશમાંયે ન જણાય ?”

બીરબલ બોલ્યો “ જી હા, નામદાર ! એ બન્નેના પ્રકાશમાંયે અંધકાર જડી શકતો નથી."

બાદશાહે એ ઉત્તરથી આનંદ પામી બીજા પણ ત્રણ સવાલ પૂછ્યા, જે નીચે પ્રમાણે છે:--

બાદશાહ–“આ જગત્માં કોનો વિશ્વાસ ન કરવો ?

બીરબલ—“ જહાંપનાહ ! આંખે કાણો, હાથે ઠુંઠો, પગે લંગડો અને ટૂંકી ગરદનવાળો એ ચાર નીશાની વાળાઓનો વિશ્વાસ ન કરવો જોઈયે.”

બાદશાહ—“ નીમકહરામ કોણ? ”

બીરબલ—“ આપણું ખાઈને આપણું જ બુરૂંકરે તે. ”

બાદશાહ—“ નીચમાં નીચ કોણ? ”

બીરબલ—“ દેશદ્રોહી. ”

બીરબલની આ હાઝરજવાબી જોઈ સર્વ દરબારીયો પણ “વાહવાહ” પોકારી ઉઠયા અને બાદશાહે પણ તેને અનેક ધન્યવાદ આપવા સાથે ભારે સરપાવ પણ આપ્યો.