બીરબલ વિનોદ/વંતાકનું શાક

વિકિસ્રોતમાંથી
← પાશેર ચુનો ને અડધો શેર ઘી બીરબલ વિનોદ
વંતાકનું શાક
બદ્રનિઝામી–રાહતી
કૃતજ્ઞ અને કૃતઘ્ન →


વાર્તા ૯.

વંતાકનું શાક

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ વંતાકનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે!!” બીરબલે ઉત્તર આપ્યો "હુઝૂર ! એ કારણથી જ તો સૌ કોઈ તેને ખાય છે.”

ત્યાર પછી કેટલેક દિવસે અકબરે વંતાકની નિંદા કરી એટલે બીરબલે કહ્યું “ જહાંપનાહ ! એના જેવી ખરાબ વસ્તુ એક પણ નથી. એનું શાક વાયુકારક હોય છે.”

આ સાંભળી બાદશાહ બોલ્યો “બીરબલ ! તું બહુજ જુઠું બોલે છે. પેલે દિવસે તો તેં એનાં વખાણ કર્યા હતાં અને આજે વળી તેને ખરાબ બતાવે છે ?!”

બીરબલે બન્ને હાથ જોડી કહ્યું "હઝૂર ! આપજ ન્યાય કરો કે, હું આપનો સેવક હતો યા કે વંતાકનો?!!” આ જવાબ સાંભળી બાદશાહ ખડખડાટ હસવા લાગ્યો.