મેં તો કાયા કારણ ભેખ લીધા

વિકિસ્રોતમાંથી
મેં તો કાયા કારણ ભેખ લીધા
મીરાંબાઈ



મેં તો કાયા કારણ ભેખ લીધા


કાયા કારણ ભેખ લીધા, રાણાજી!
મેં તો કાયા કારણ ભેખ લીધા.
રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે,
દાસી જાણીને દર્શન દીધાં ... રાણાજી.
ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે રાણા!
હરિરસ ઘોળી ઘોળી પીધાં ... રાણાજી.
મોહને મોહ કર્યા કારમા અતિશે, રાણા,
કંથા પહેરીને નેડા કીધા ... રાણાજી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા,
જંગલે જઈને ડેરા દીધા ... રાણાજી.