રસિકવલ્લભ/પદ-૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૧૦૫ રસિકવલ્લભ
પદ-૧૦૬
દયારામ
પદ-૧૦૭ →


<poem>પદ ૧૦૬મું

ગુરુ એક સંશય મારે મનજી, શ્રીહરિ સરખા ભગવદી જન્નજી; ભજવા કહો છો દોષ ન જોવોજી, ક્યમ સંભવે સંદેહ ખોવોજી. ૧

સંત વિષે કેમ દોષ ન હોયજી? સદોષ સાધુ ન કહાવે કોયજી; સુણી ગુરુ બોલ્યા છે તો એવુંજી શાસ્ત્રે ભાખ્યું કહ્યું તે જેવુંજી. ૨

ઢાળ

જેવું કહ્યું તેવું ખરું પણ, સૂક્ષ્મ સમજણ એક; જે સમજ્યાથી સંદેહ ટળે, ઉર હોય વિમલ વિવેક. ૩

પ્રભુ પૂર્ણ સંગી પૂર્ણ હોય, પૂર્ણપણે મદ થાય; મધુસૂદન માધવ બિરદ છે, ગુણ દોષ સહુ થઈ જાય. ૪

ન્યૂનતા વણ નવ દીનતા, દીનતા વણ ન કૃપાય; ન્યૂનતા ન હોય મુજ દાસમાં, તેનો કરવો કાંઈ ઉપાય. ૫

એમ વિચારી હરિ ભક્તમાં નિજ ઈચ્છા કૃત ધર્યો દોષ જે જોઈ દીન બન્યા રહે, બાકી ખરા સદ્‍ગુણકોશ. ૬

પૂછશે (પૂછીશ) એવું કર્યું ક્યહું હરિ, તે પણ કહું સુણ ગાથ; દેવને વાનર ગોપ કરી, રાખ્યા નિકટ શ્રીનાથ. ૭

રાખત વિબુધ રૂપે કદા તો, આવત જ અભિમાન; સમજત ન કરુણા દયાપ્રભુ, માનવ અમે ગુણવાન. ૮ -૦-