રસિકવલ્લભ/પદ-૫૦

વિકિસ્રોતમાંથી
← પદ-૪૯ રસિકવલ્લભ
પદ-૫૦
દયારામ
પદ-૫૧ →


પદ ૪૯ મું

શ્રેષ્ઠ સર્વથી તે ચાંડાલજી, મન વણ જીહ્‌વા જપ ગોપાલજી;
તેણે કીધાં તપ સહુ તીર્થજી, સ્વધર્મ સાધ્યા યજ્ઞ સમર્થજી.
વેદ ભણ્યા તેણે સહુ જાણો જી, અથવા પુર્વે કર્યો પ્રમાણો જી;
કૌતક આનંદ એ વિખ્યાત જી, કહ્યું કપિલજી પ્રત્યે માત જી.

ઢાળ

માતાનું ભાખ્યું કહ્યું, વળી કહું ઉપનિષદ્‌નું વચન;
સંધ્યા ન કુશળ મંત્રથી, થાય કૃષ્ણ સાધ્યે મંન.
મન કૃષ્ણરૂપે જોડવું, સંધિનું સંધ્યા નામ;
એમ વાસુદેવોપનિષદ્, કહ્યું છે અભિરામ.
મન વચન ક્રર્મે ચાલવું, જ્યાંલગી ઉજ્વળ હોય;
પછી રાગ કૃષ્ણ ચડાવવો, વળતી ધૂએ તો રોય.
તજી ઉચિત રીતિ હઠ કરે, તે કર્મજડ કહેવાય;
જ્યમ શ્વાનકંઠે કાંઠો, તે કાઢવા દે ન કઢાય;

હોય અનીશ્વરવાદી મીમાંસક, કર્મ અત્યાસક્તિ;
હરિ બહુર્મુખ તે જાણવા, કદી પ્રાપ્ત થાય ન ભક્તિ.
પ્રન્હુ વિમુખ દ્વિજ ગુણ બાર સહ, સ્વયં તરે નહિ ગરવાલ;
હરિ દયા પ્રીતમ દાસ વર, કુળ સહ તરે ચાંડાલ.