રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું

વિકિસ્રોતમાંથી
રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું
મીરાંબાઈ


રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું.

રાજા રુઠે નગરી રાખે,
હરિ રુઠ્યાં કહાં જાશું .... રાણાજી

હરિમંદિર મેં નિરત કરાશું,
ઘૂઘરિયાં ઘમકાશું .... રાણાજી.

રામ-નામકા જાપ ચલાશું,
ભવસાગર તર જાશું ... રાણાજી.

યહ સંસાર બાડ કા કાંટા,
જ્યાં સંગત નહીં જાશું ... રાણાજી.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
નિત ઉઠ દરશન પાસું .... રાણાજી.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

નિશ્વયનાં પદ

૮૮

રાગ પૂરિયા - તાલ તિતાલા

રાણાજી, મ્હેં તો ગોબિંદકા ગુણ ગાસ્યાં.
ચરણામ્રિતકો નેમ હમારે, નિત ઊઠ દરસન જાસ્યાં.
હરિમંદિરમેં નિરત કરાસ્યાં, ઘૂંઘરિયાં ઘમકાસ્યાં,
રામ-નામકા ઝાઝ ચલાસ્યાં, ભવસાગર તર જાસ્યાં.
યહ સંસાર બાડકા કાંટા, જ્યાં સંગત નહિ જાસ્યાં.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, નિરખ પરખ ગુણ ગાસ્યાં.